લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે થયા છે. છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધ્યા બાદ અમિત શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા અહીં યોજેલી જનસભામાં અમિત શાહે કહ્યુ કે આંતકવાદ, ભષ્ટ્રચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ઘેરી છે.
આ ઉપરાંત જણાવ્યુ કે એસટી અને ઓબીસીના ભાગની અનામત મુસ્લીમોને આપવામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી મુસ્લીમોને ઓબીસીમાંથી ભાગ આપ્યો છે. રામ મંદિરના મુદે પર પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. અમિત શાહે જણાવ્યુ કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતા હાજર રહ્યાં ન હતા. ભાજપ જે કહે છે તે કરી બતાવે છે.ભાજપે નકસલવાદને પણ ખતમ કર્યો છે. જ્યારે ઈન્ડીયા ગઠબંધનના વડાપ્રધાન કોણ બનશે તેનો તેમના પાસે જવાબ નથી.
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે આતંકવાદ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. અમિત શાહે કહ્યુ કે રાહુલ ગાંધી રસી પર પહેલા સવાલ ઉઠાવતા હતા. કોંગ્રેસે મહામારીમાં પણ રાજનીતિ કરી હતી. બીજી તરફ અમિત શાહે કહ્યુ કે ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે. રામ મંદિરની વાત કરી અને તે બનાવીને બતાવ્યુ.છોટાઉદેપુરના બોડેલીમાં અમિત શાહની જનસભા યોજાઇ, જેમાં તેમણે ઈન્ડીયા ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી એન્ડ કંપની સત્તામાં આવશે તો મુસલમાનોને અનામત આપી દેશે. રાહુલ ગાંધી સ્પષ્ટતા કરે કે ઓબીસી અનામતને કોઇ નુકસાન નહીં થાય.બોડેલીની સભામાં અમિત શાહે કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો.મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યુ.અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યુ છે.છતા કોંગ્રેસ અને આપ વોટબેંક માટે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા ન હતા.અમિત શાહે સભામાં કહ્યુ છે કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓની વિરોધી છે. જા કે મોદી સરકારે ૧૨ કરોડ ઘરમાં શૌચાલય બનાવ્યા છે. તેમજ ૪ કરોડ ગરીબોના ઘર બનાવ્યા અને ૧૪ કરોડ ઘરોમાં પાણી પોંહચાડ્યુ છે. જ્યારે ૬૦ કરોડ લોકોને ૫ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પૂરો પાડ્યો છે.
અમિત શાહે સભામાં જણાવ્યું કે, તમે જશુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં મોદીને વડાપ્રધાન બનાવવાનું કામ કરશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતથી દેશ સુધી સુરક્ષા, સ્વાસ્થ્ય, સમૃદ્ધી, શિક્ષાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.
આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આપણી સામે કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે, ત્યારે તે જીતવાના તો છે નહીં, પરંતુ ભગવાન ન કરે અને તે જીતી જાય તો છોટાઉદેપુરની જનતાને પુંછવા માંગુ છું કે, વડાપ્રધાન પ્રધાન કોણ બનશે. અમારો તો ચોખ્ખો હિસાબ છે કે, ભાજપ જીતશે એટલે મોદી સાહેબ વડાપ્રધાન બનશે. આ સાથે જ તેમણે કહ્યું કે અરે અકલના ઓથમિરો આ ભાગીદારી નથી, દેશ ચલાવવાનો છે.
અનામત મામલે જણાવ્યું કે, હમણાં રાહુલબાબા એન્ડ કંપની કહે છે કે, મોદી વડાપ્રધાન બનશે તો અનામત જતી રહેશે. ભાજપે ૪૦૦ પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો છે. અને રાહુલ બાબ કોઈ સલાહ કાર તો સારા રાખો, ૨૦૧૪માં ભાજપ પાસે બહુમતી હતી, ૨૦૧૯માં પણ બહુમતી હતી પરંતુ નરેન્દ્રભાઈએ એસસી એસટી,ઓબીસીની અનામત હટાવવાનું કામ નથી કર્યું. શાહે ગેરેન્ટી આપતા કહ્યું કે, જ્યા સુધી ભાજપ સરકાર છે ત્યા સુધી અનામતને કોઈને હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી. આ અધિકાર એસસી એસટી ઓબીસી ભાઈનો છે, તેની પાસેથી ક્યારે છીનવામાં આવશે નહી.