શિવસેના(યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો છે કે જા મોદી સરકારને હરાવવામાં નહીં આવે તો દેશને ‘કાળા દિવસો’ જાવા પડશે. લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીની મુખપત્ર ‘સામના’માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતના લોકો પોતાના નેતાઓના ભવિષ્ય અંગે નિર્ણય કરશે.
આ સાથે ઉદ્ધવ ઠાકરે એવો પણ દાવો કર્યો કે, જા વર્તમાન ભાજપ સરકારને હરાવવામાં આવશે તો દેશનું ભવિષ્ય શાંતિપૂર્ણ હશે અને લોકશાહી મજબૂત થશે.
આ સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચારીઓને સંરક્ષણ જ મોદીની ગેરંટી છે. અન્ય તમામ રાજકીય પક્ષો અને દેશને ભ્રષ્ટ લોકોથી મુક્ત કરવામાં કરાઈ રહ્યો છે, કેમ કે ભાજપે ભ્રષ્ટ લોકોને પોતાના પક્ષમાં સામેલ કરીને સુરક્ષાનો ભરોસો આપ્યો છે. ભાજપ તમામ ભ્રષ્ટ લોકોને વેક્યુમ ક્લીનરની જેમ સામેલ કરી રહી છે, જે ધૂળ અને ગંદકી શોષી લે છે. કોંગ્રેસ, શિવસેના અને આખા દેશ ભ્રષ્ટ લોકોથી મુક્ત થઈ ગયો છે.
ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વડાપ્રધાન પોતાના ભાષણોમાં પાકિસ્તાન અંગે બોલે છે, જ્યારે વિપક્ષ ભારત અંગેની વાત કરે છે. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના(યુટીબી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર ચૂંટણીની ચર્ચામાં ભગવાન રામને લાવવાનો આરોપ લગાવીને કહ્યું કે સત્તાધારી પાર્ટી પાસે વિકાસના મામલામાં દેખાડવા માટે કશુંય નથી.
આ સાથે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, નરેન્દ્ર મોદીને હમણાં સુધી મહારાષ્ટ્રનો પ્રેમ મળ્યો છે. હવે મહારાષ્ટ્રના અભિશાપનો પણ અનુભવ કરશે. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની સાથે-સાથે દેશમાં પણ પરિવર્તન ચોક્કસ થશે, તેવો દાવો કર્યો છે.