
દુનિયાભરના સાહિત્યમાં ઉલ્લેખ છે કે બાળકની સૌથી પ્રથમ પાઠશાળા ઘર છે ને મા જ તેની પ્રથમ શિક્ષિકા છે.. મધર્સ ડે પર જાણીએ માની મમતાના અગિયાર પગલાંને….
આપણા વેદ – પુરાણો પછી હવે વિજ્ઞાને પણ સિધ્ધ કર્યું છે કે, બાળક પર સૌથી વધુ જા કોઇની અસર પડતી હોય તો એ છે તેની મા. ગર્ભમાં વિકાસ દરમિયાન જ બાળક પોતાની માના વિચાર – આચરણ – સ્વભાવથી પરિચિત થવા માંડે છે. જન્મ પછી પણ બાળક પોતાની માતા પાસે જ સૌથી વધુ સમય વિતાવે છે. આ જ સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે, જયારે કાચી માટી સમું બાળક આચરણ અને વ્યવહારનો આકાર ધારણ કરે છે.
એ પણ સત્ય છે કે મા તો કોઇપણ મહિલા બની શકે છે, પરંતુ સર્વશ્રેષ્ઠ મા બનવું એ કોઇ પડકારથી કમ નથી. એક ઉત્તમ – શ્રેષ્ઠ માતા કેવી રીતે બનાય… આ સવાલનો જવાબ આપતાં પૂર્વે એ સમજવું જરૂરી છે કે, માત્ર સારી ઉત્તમ માતા બનવું એટલું જ પર્યાપ્ત નથી પણ, પ્યાર અને લાડ સાથે બાળકને સમજવું પણ એટલું જ જરૂરી છે.
આવો, આજે મધર્સ ડે પર એ અગિયાર પગલાંને જાણીએ – સમજીએ, જેને ભરીને આપ પણ દુનિયાની શ્રેષ્ઠતમ માનો ખિતાબ મેળવી શકશો. સાથે જ આપના પરિવાર, સમાજ, દેશ અને વિશ્વને સર્વશ્રેષ્ઠ નાગરિક પણ આપી શકશો…
(૧) આપનો લાડ દર્શાવો: નાનું બાળક બહુ જ સંવેદનશીલ હોય છે. કદાચ એ બોલીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી ન શકે પરંતુ એ આપના દરેક હાવ-ભાવને વાંચે છે, સમજે છે. જવાબદારીઓને કારણે આપ કામમાં – તનાવમાં હોવ, બાળકથી દુર હોવ પરંતુ તમારે તમારો તનાવ ભૂલીને બાળકને લાડ કરવો જાઇએ, એને ગળે લગાડવું જાઇએ, ચૂમવું જાઇએ, મંદ-મંદ હસવું જાઇએ. આમ કરવાથી બાળક સાથેનો આપનો સ્નેહ વધુ ગાઢ બનશે, એટલે તમારો બધો તનાવ પણ પળવારમાં છૂ થઇ જશે.
(ર) અંતર મટાડવાનો પ્રયાસ કરો: બાળક આપની સાથે કે કોઇ અન્ય વાત પર જીદ પકડીને નારાજ થઇ જાય તો તેને મનાવો અને તેની સાથે વાત કરીને દૂરી ઘટાડવાનો – નાબૂદ કરવાની કોશિષ કરો. આમ કરવાથી તે પોતાની જીદ છોડી દેશે અને આપની સાથે પોતાના મનની વાત કરવા બેસી જશે, શકય છે કે બાળક તમને કોઇ એવો સવાલ પૂછે કે એવી વાત કહે, જે અકારણ હોય, તો પણ તમે તેની દરેક વાતને ધ્યાનથી સાંભળીને સમજી – વિચારીને પ્યારથી જવાબ આપો.
(૩) જવાબદારી સમજાવો:બાળકોની સાથે સમય વિતાવવા દરમિયાન ધ્યાન રાખો કે તે આપની દરેક ગતિવિધિ અને વાત પર કેટલું ધ્યાન આપી રહ્યાં છે નાની-નાની વાતોમાં એને જવાબદારીઓ પણ સમજાવો, ટાઇમ મેનેજમેન્ટ, પોતાની ચીજ-વસ્તુ યોગ્ય સ્થાન પર મૂકવી, સ્વયં અને પોતાની ચીજ-વસ્તુઓની સાફ-સફાઇની વાતો, જવાબદારીઓને સમયે-સમયે સમજાવતાં – જણાવતાં રહો, જેથી બાળકની આદતમાં આ બધી વાતો-બાબતો આવી જાય.
(૪) બાળકોને સાથ આપો: કયારેક કયારેક બાળક કોઇ સમસ્યાથી ગભરાઇ જાય, એવે વખતે તમે તેને સાથ આપો. એથી એનો આત્મવિશ્વાસ વધશે. બાળક કંઇક સારૂં કરે કે ખરાબ, એને હંમેશાં એવું લાગવું જ જાઇએ કે તમે તેની સાથે જ છો. સારૂં કરે તો તેને પ્રોત્સાહિત કરો અને જા ખરાબ કરે તો લઢવા-મારવાને બદલે તેની ભૂલના પરિણામોને સમજાવો, એનાથી બાળકની સમજ પણ વધશે અને તે આપની સાથે પોતાની દરેક વાત શેયર કરશે. શક્ય હોય તો દરરોજ સવારે કે સાંજે બાળકો સાથે ફરવા નીકળો, એ દરિમયાન તેમને પ્રેરક પ્રસંગો સંભળાવો, જેથી તેઓ આદર્શ વાતો શીખે.
(પ) બાળકોના આદર્શ બનો: આપણી સૌથી મોટી ખામીએ છે કે, આપણે બાળકોને તો સારા બનાવવાની આશા રાખીએ છીએ, પરંતુ પોતાની ખામીઓને સુધારવા તૈયાર નથી. બાળકો માટે આદર્શ બનવાની સ્વયં પહેલ કરો. આપના માટે આપની આદતોને બદલવાનું શક્ય ન હોય તો કમ સે કમ બાળકોની સામે એ આદતોને ટાળો. બાળકો સામે જૂઠ્ઠું ન બોલો અને ચિડાઇને પણ ન બોલો. નમ્ર સ્વભાવ અને ધીમેથી બોલવું, નાની અમથી ભૂલમાંય માફી માગવી, સામી વ્યક્તિને ધન્યવાદ આપવા વગેરે એવા આચરણ છે, જેને જાતા જ બાળક સ્વયં પણ એ બધા આચરણનો અમલ કરશે.
(૬) ધૈર્ય ન ગુમાવો: દોડધામ અને મોંઘવારીવાળી જીંદગીમાં એક મા માટે બેવડી ભૂમિકા નિભાવવી એ થોડું કઠિન બની રહ્યું છે. ઘર પરિવારની જવાબદારીઓની સાથો સાથ તેણે આર્થિક સ્થિતિને પહોંચી વળવા નોકરી કે વ્યવસાયમાં પણ સમય, મહેનત ફાળવવી પડે છે. કયારેક કાર્યભાર વધી પડવાથી ધૈર્ય તૂટી જાય છે. એવે વખતે તમે સ્વયંને શાંત અને ખુશ રાખો, બાળકોની સામે ઘરની કે ઓફિસની સમસ્યાઓની વાત ન કરો, નહીંતર બાળક પણ તનાવમાં આવી જઇ શકે છે.
(૭) જવાબદારી નિભાવો: અહીં હું પુરૂષપ્રધાન પક્ષની તરફદારી નથી કરતો, મારો આશય માત્ર એટલો જ છે કે, બાળક માની આસપાસ જ વધુ રહે છે અને પોતાની દરેક જરૂરિયાત માટે મા પર જ નિર્ભર રહે છે. મહિલાએ કંઇ કેટલાય જરૂરી કામ છોડીને પણ બાળકના કામ કરવા પડે છે. એવે વખતે જા પરિવાર કે ઓફિસની કોઇ વધારાની જવાબદારી આવી જાય, તો તેનો પણ સ્વીકાર કરો, આપનું બાળક એ જાઇને આપની માફક પડકારનો સામનો કરવા માટે પ્રેરિત બનશે.
(૮) ભૂલો પર સંયમ રાખો: બાળક તો બાળક જ હોય છે, તેની ભૂલોમાં કોઇ છળકપટ કે અપરાધ નથી હોતા. એની સમજ પણ નિઃસ્વાર્થ હોય છે. જાણ્યે-અજાણ્યે બાળકોની ભૂલો થતી રહે છે. એવે વખતે એની ભૂલો પ્રત્યે નારાજ ન થાવ, બાળકોને તેમની ભૂલોમાંથી સબક લેવા દો. તેમને લડવાને બદેલ, એ સમજાવવાની કોશિષ કરો કે તેણે જે પણ કર્યું છે, એ કેવી રીતે ખોટું છે અને તેને કેવી રીતે સુધારી શકાય છે.
(૯) ખુદને અપડેટ કરો: ઘેર-ઘેર ટી.વી. અને આધુનિક મોબાઇલ ફોન હોવાને કારણે આજના બાળકો ઘણાં અપડેટ રહે છે, એવે વખતે તમારે પણ અપડેટ રહેવું જ પડે. કયારેક કયારેક બાળમનમાં એવી ચીજ કે વાત મનમાં ઉદભવે કે એ એનું નિવારણ તમારી પાસે માગે, તે વખતે બાળમનની જીજ્ઞાસાઓ તમારે જ સંતોષવી પડશે, એટલે પણ આપણે અપડેટ રહેવું પડશે. બાળકોને તેની વયઅનુસાર જીવવાના સત્ય જણાવો, જેથી તેઓ હેરાન ન થાય.
(૧૦) બાળકને સમ્માન આપો: તમે જેમ તમારૂં સમ્માન ઇચ્છો છો, તેમ બાળકોને પણ સમ્માન આપો, ને તેના સમ્માનની રક્ષા કરો. બાળકોના વિચારોને પણ મહત્વ આપો. ઘર-પરિવારની બાબળતોમાં તેમના સલાહ-સૂચન પણ લો. જા તેમના સલાહ-સૂચન યોગ્ય હોય તો પ્રોત્સાહિત કરો ને જા અયોગ્ય હોય તો તેનું કારણ પણ તેમને સમજાવો, બાળકોને તેમના મિત્રો કે સગા-સંબંધીઓની સામે લઢો નહીં, તેમનું માન-સમ્માન જાળવી રાખો.
(૧૧) ભાવનાઓ નિયંત્રિત કરો ઃ સૌથી મુખ્ય વાત, જે બાળકોને સૌથી વધુ અસર કરે છે, એ છે આપની ભાવનાઓની અભિવ્યÂક્ત, સમયના અભાવને કારણે બની શકે કે આપ આપના પતિનું સામિપ્ય કે સાથનો અભાવ મહેસૂસ કરતાં હોવ, પરંતુ જીવનની અન્ય જરૂરિયાતોની સાથે શારીરિક -માનસિક જરૂરિયાતોને પૂરી કરવા માટે યોગ્ય સમયનો અવસર નક્કી કરો. બાળકની સામે એવો કોઇ જ વાણી – વર્તન – વ્યવહાર ન કરો, જે બાળમન પર ખરાબ અસર પાડે છે. પરિવાર, આર્થિક સ્થિતિ, સંબંધીઓના વ્યવહાર – વર્તન કે ઓફિસની વાતો બાળકોની સામે કદાપી ન કરો.