અમરેલી લોકસભાનું આજરોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીપંચના આદેશ મુજબ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે મતદારોને ફેસ ટુ ફેસ મળવા માટે ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સહિતના આગેવાનો સાથે અમરેલીની બજારોમાં ભાજપ તરફી મતદાનની અપીલ કરવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળ્યા હતા. વેપારીઓ સાથે સંવાદમાં ભાજપ ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપ તરફી મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ પણ વેપારીઓને જણાવ્યું હતું કે, જે રીતે વિધાનસભામાં મારી પર વિશ્વાસ મૂકી મને ધારાસભ્ય બનાવ્યો હતો તે જ રીતે આ વખતે નાનો માણસ પણ કામનો માણસ એવા ભરતભાઈ સુતરીયાને જીતાડી અમરેલીમાંથી એક કમળ દિલ્હી મોકલવા માટે અનુરોધ કર્યો હતો. ભરતભાઈ સુતરીયા અમરેલીની બજારોમાં નીકળતા વેપારીઓએ તેમને ફુલહાર કરી વધાવ્યા હતા. આમ, જે રીતે વેપારીઓએ સહયોગ આપ્યો છે તેને જાતા આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થશે તેવું અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો ભારે વિશ્વાસથી જણાવી રહ્યાં છે.
ભાજપ તરફી મતદાન કરવા ભરત સુતરીયાની અપીલ
અમરેલી લોકસભાનું આજરોજ મતદાન છે ત્યારે નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બને અને પ્રધાનમંત્રીના હાથ મજબૂત થાય તે માટે લોકસભાનો એકપણ મતદાર મતદાનથી વંચિત ન રહેવો જાઈએ. અંતમાં મતદારોને ભાજપ તરફી મતદાન કરવા ભરતભાઈ સુતરીયાએ અપીલ કરી હતી.