નારી રક્ષા સેનાના સંસ્થાપક સેજલબેન બી. સરવૈયા અને રાષ્ટ્રીય પ્રભારી બાલુભાઈ સરવૈયા દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામના વતની ભરતભાઈ ખુમાણની “નારી રક્ષા સેના”ના ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કૈલાસ માન સરોવર મુક્તિ આંદોલનના રાષ્ટ્રીય મહાસચિવ, રાષ્ટ્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ રાજુલા તાલુકા ધર્માધાયક પરમ ધર્મ સંસદ ૧૦૦૮ અને અમરેલી જિલ્લા કન્ઝ્યુમર પ્રોટેકશન એનાલિટિક્સ કમિટી “સૌરાષ્ટ્ર કચ્છ ઝોન” જેવી સેવાકીય સંસ્થાઓમાં પણ જાડાયેલા છે.







































