વૈશાખી વાયરા વચ્ચે ખેતી કામની શરૂઆતનું મુહૂર્ત અક્ષય તૃતિયા -અખાત્રીજથી ધરતી અને ખેત ઓજારના પૂજનની પરંપરા હતી. આજની યુવા પેઢીએ પરંપરા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકાના સોનાસણા ગામના ૪૬ વર્ષિય ભણેલા-ગણેલા ખેડૂત અને ખેડૂત પુત્રની વાંચકો સમક્ષ વાત મૂકવી છે. ડીપ્લોમા ફાર્મસી સુધીનો અભ્યાસ કરનાર કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલે ખેતીમાં પ્રગતિ કરી છે. ભણી-ગણીને આજે ખેડૂતના દિકરાઓને આજે ખેતીમાં રસ નથી. ખેતીમાં મહેનત-પરિશ્રમ છે, અનેક પડકારો છે. આમ છતાં ખેતી નિરંતર પ્રગતિ પર છે.
ઈતિહાસને ભલે તોડી-મરોડી નાખવામાં આવે પરંતુ મહાત્મા ગાંધીજીના ખેતી, ગ્રામોદ્યોગ, પશુપાલન, વાહનવ્યવહાર, પાયાની કેળવણી, આરોગ્ય, સ્વચ્છતા વિગેરે બાબતો પર આપણે ધ્યાન આપીને પ્રજાજનોએ વાસ્તવિકતા સમજાવવાની જરૂરિયાત છે.
કલ્પેશભાઈ અભણ અને અજ્ઞાની છે એટલે ખેતી કરે છે એવું નથી, તે ભણેલા-ગણેલા આધૂનિક ખેડૂત છે. પોતાની ૧પ એકર જમીન છે. અભ્યાસ પછી મેડિકલ સ્ટોર્સ સાથે ખેતીમાં પૂર્ણ ધ્યાન આપે છે. આધુનિક વિજ્ઞાન, ટેકનોલોજીના સમન્વય સાથે પોતાની ૧પ એકર જમીનમાં વર્ષ દરમ્યાન ત્રણ પાકોનું વાવેતર કરીને સારૂ એવુ ઉત્પાદન મેળવે છે. ચોમાસા દરમ્યાન મગફળીનું વાવેતર કરે છે. કલ્પેશભાઈ કહે છે, હું છેલ્લા ચાર પાંચ વર્ષથી ક્રાંતિ વેરાઈટી મગફળીનું વાવેતર કરૂ છું. ૧ વિઘે ૩પ થી ૪૦ મણ મગફળીનું ઉત્પાદન આપે છે. ગયા વર્ષે માર્કેટીંગ યાર્ડમાં ૧ મણનો ભાવ રૂ. ૧૭૮૦નો મળેલ. આ વેરાયટીની મગફળીના દાણા એક્સપોર્ટ થાય છે, એટલે સારો ભાવ મળે છે. શિયાળામાં બટાટાનું વાવેતર કરે છે. ઉત્તર ગુજરાતમાં બટાટાની ખેતી મોટાભાગે કોન્ટ્રાકટ ફા‹મગ આધારિત થાય છે. ગત શિયાળા દરમ્યાન કેનાબેક વેરાયટીના બટાટાનું વાવેતર કરેલ. જેનું વીઘે ઉત્પાદન પ૩૬ મણ આવેલ. વાવેતર સમયે એડવાન્સ ભાવ રૂ.રરપ રૂપિયા નક્કી થયેલ હતો. એક વિઘામાં ૧,૩૬,૮૮૦નું ઉત્પાદન ચાર મહિનામાં આવેલ જેમાં વિઘે પ૦ હજારનો ખર્ચ થયેલ. જયારે ૧ વિઘે ૮૦,૦૦૦ જેવી આવક થઈ.
ઉનાળામાં કલ્પેશભાઈ મકાઈનું વાવેતર કરે છે. આધુનિક પશુઆહાર-ખોરાક-સાયલેજ(ચારો) તૈયાર કરીને સારી આવક મેળવી રહ્યા છે. પશુપાલકો અને ડેરી મારફતે સારુ વેચાણ કરે છે. કલ્પેશભાઈ કહે છે, લીલી મકાઈના ડોડામાં સારા દાણા બેસે એટલે ઓટોમેટીક હાર્વેસ્ટીંગ થાય છે. મજૂરોની જરૂર પડતી નથી. લીલી મકાઈનું ૬૦૦થી ૭૦૦ મણ ઉત્પાદન આવે છે. ૩૮૦૦૦ની આવક થાય જેમાં રૂ.પ૦૦૦ ખાતર, પાણી, બિયારણ, દવાનો ખર્ચ આવે છે. કલ્પેશભાઈએ નેચરલ સાયલેઝ કંપની ઉભી કરીને ખેડૂતોને બેઠા કરવાનું કામ શરૂ કર્યુ છે. ૧પ૦ જેટલા ખેડૂતો સાથે કોન્ટ્રાકટ ફા‹મગ કરીને ૧૦૦૦ થી પણ વધારે વિઘામાં મકાઈનું વાવેતર કરાવે છે. ખેડૂતોને બિયારણ, વાવેતર કંપની વિનામૂલ્યે કરી આપે છે. જયારે મકાઈનું હાર્વેસ્ટીંગ પણ વિનામૂલ્યે કરી આપે છે. આમ કલ્પેશભાઈ બીજા ખેડૂતોને પણ ઉપયોગી થઈ રહ્યા છે. પોતાની સાઈલેઝ કંપનીનું ટર્નઓવર ૭ થી ૮ કરોડનું હોવાનું કલ્પેશભાઈ જણાવી રહ્યા છે. આ સાઈલેઝ ચારો ૧૮ મહિના પેકિંગમાં લીલો રહે છે. કલ્પેશભાઈ સાયલેઝ માટે હાર્વેસ્ટીંગ, પેકિંગ મશીનરી વિદેશથી લાવેલા હતા. બાદમાં સાયલેઝ મશીનરી બનાવવાનું યુનિટ પણ શરૂ કર્યુ છે. આજે તેની મશનરી ભારત, નેપાલ, સાઉથ આફ્રિકાના દેશોમાં વેચાણ કરી રહ્યાં છે. આમ કલ્પેશભાઈએ ખેત વાવેતર પધ્ધતિ, વેલ્યુએડિશન પધ્ધતિ સહિત સમયની માંગ પ્રમાણે ખેતીમાં ફેરફાર કર્યા અને આજે સફળ ખેડૂત બન્યા છે. કલ્પેશભાઈ પટેલનો સંપર્ક નં. ૭૯૮૪૯પ૩પ૪પ છે.