ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહની સામે યૌન ઉત્પીડનના કેસમાં આરોપ ઘડાતા આંદોલન કરનાર મહિલા પહેલવાનોએ નિવેદન જાહેર કર્યું છે. મહિલા પહેલવાનોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણસિંહની સામે આરોપ ઘડાવા એ જીત તરફનું એક પગલું છે. છ મહિલા મહિલા તરફથી દાખલ કરેલા યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે આઈપીસીની કલમ ૩૫૪ (મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર) અને ૩૫૪એ (યૌન ઉત્પીડન) અને કલમ ૫૦૬ (ગુનાહિત ધમકી) હેઠળ આરોપ ઘડાયા છે.
આૅલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને વીનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફાર્મ આ શૅર કર્યું છે. તેમાં કહેવાયું કે “બ્રિજભૂષણ શરણસિંહ સામે યૌન ઉત્પીડનના કેસમાં આરોપ ઘડાતા મહિલા પહેલવાન ખુશ છે.” “આ મહિલા પહેલવાનો સામે યૌન અપરાધોના મુખ્ય અપરાધી વિરુદ્ધ ચાલતા અમારા ૧૮ મહિનાના આંદોલનમાં એક મોટો પડાવ છે. આ આંદોલન જાન્યુઆરી ૨૦૨૩માં શરૂ થયું અને હજુ પણ ચાલુ છે.””અમને ન્યાયપાલિકા પર પૂરો ભરોસો અને અમે નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયની આશા રાખીએ છીએ. બ્રિજભૂષણ શરણસિંહ ઉત્તરપ્રદેશના કૈસરગંજના ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ છે.
કોર્ટે બ્રિજભૂષણ શરણસિંહ સહિત કુસ્તી સંઘના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમર સામે પણ આરોપ ઘડ્યા છે કોર્ટે કહ્યું કે તેને બ્રિજભૂષણ શરણસિંહ સામે આઈપીસીની કલમ ૩૫૪ (મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર) અને ૩૫૪એ (યૌન ઉત્પીડન) અને કલમ ૫૦૬ (ગુનાહિત ધમકી)ના પૂરતા પુરાવ મળ્યા છે. તોમર સામે આઈપીસીની કલમ ૫૦૬ હેઠળ આરોપ ઘડાયા છે.