બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. માહિતી અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક ૩૭ પર પહોંચી ગયો છે અને ૭૪ લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુઆંક વધી શકે છે.
રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા માટે ઈમરજન્સી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્ય ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે. સ્થિરતિને જાતા ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કટોકટીની સ્થિરતિ જાહેર કરી છે.
ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કહ્યું, ‘અમે અમારા ઈતિહાસની સૌથી ખરાબ આપત્તિનો સામનો કરી રહ્યા છીએ. બચાવ કાર્ય ચાલુ છે પરંતુ અફસોસની વાત એ છે કે મૃત્યુઆંક વધી શકે છે. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અસરગ્રસ્ત વિસ્તારને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે અને ખાતરી આપી છે કે આત્યંતિક હવામાન પરિસ્થિરતિઓને કારણે થતી સમસ્યાઓને ઘટાડવા માટે માનવ અથવા ભૌતિક સંસાધનોની કોઈ અછત રહેશે નહીં.
બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે ૬૨૬ સૈનિકો સાથે ૧૨ એરક્રાફ્ટ, ૪૫ વાહનો અને ૧૨ બોટ તૈનાત કરીને સંઘીય સહાય પહેલેથી જ એકત્રિત કરવામાં આવી છે. રસ્તાઓ સાફ કરવા, ખોરાક, પાણી અને ગાદલા જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે આશ્રયસ્થાનો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
દરમિયાન, રાજ્યની મુખ્ય નદી ગુઆઇબા ચિંતાજનક સ્તરે પહોંચવાની ધારણા છે. જો આમ થાય તો પૂરની સ્થિરતિ સર્જાઈ શકે છે અને સ્થિરતિ વધુ ચિંતાજનક બની શકે છે. આગાહી એજન્સીઓએ ખતરાની ચેતવણી જારી કરી છે. વરસાદને કારણે ઘણા સમુદાયો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને જાન-માલને નોંધપાત્ર નુકસાન થયું છે.પરિસ્થિરતિને જાતા લોકોને તે જગ્યાઓ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં જોખમ વધારે છે. લોકોને પીવાનું પાણી પણ મળતું નથી.