સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહેલી બુલડોઝિંગ કાર્યવાહી પર સખત નારાજગી વ્યક્ત કરી છે. એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું કોઈ વ્યÂક્ત માત્ર એટલા માટે તેના ઘરને તોડી શકે છે કારણ કે તે આરોપી છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જા કોઈ આરોપી દોષિત સાબિત થાય તો પણ નિર્ધારિત કાયદા વિના તેનું ઘર નષ્ટ કરી શકાય નહીં.
જÂસ્ટસ બીઆર ગવઈએ મુÂસ્લમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, ‘માત્ર આરોપી હોવાના કારણે ઘર કેવી રીતે તોડી શકાય? જા તે દોષિત હોય તો પણ ઘર તોડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને કહેવા છતાં પણ અમને વલણમાં કોઈ ફેરફાર દેખાતો નથી. અરજીની સુનાવણી કરી રહેલી બેંચનો ભાગ રહેલા ન્યાયાધીશ કેવી વિશ્વનાથને કહ્યું કે ‘કોઈએ ખામીઓનો લાભ લેવો જાઈએ નહીં. બાપનો દીકરો જિદ્દી હોય કે અવગણના કરતો હોય પણ જા આના આધારે ઘર તોડવામાં આવે તો આ રસ્તો નથી.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કાયદાનું ઉલ્લંઘન કરીને મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. “અમે ત્યારે જ કાર્યવાહી કરીએ છીએ જ્યારે કાયદાનું ઉલ્લંઘન થાય છે,” તેમણે કહ્યું. જવાબમાં બેન્ચે કહ્યું, ‘પરંતુ ફરિયાદોને ધ્યાનમાં લેતા અમને લાગે છે કે ઉલ્લંઘન થયું છે.’ ન્યાયમૂર્તિ વિશ્વનાથને સમગ્ર રાજ્યમાં અનધિકૃત ઇમારતોને તોડી પાડવા માટે માર્ગદર્શિકાની જરૂરિયાતની પણ નોંધ લીધી હતી. જÂસ્ટસ ગવઈએ કહ્યું, ‘સૂચનો આવવા દો. અમે અખિલ ભારતીય સ્તરે માર્ગદર્શિકા જારી કરીશું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કોઈપણ ગેરકાયદે બાંધકામને રક્ષણ નહીં આપે. અમે સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરવાનું વિચારી રહ્યા છીએ. આ કેસની સુનાવણી ૧૭ સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી. વાસ્તવમાં બુલડોઝરની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.