પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ અંગે સતત અપડેટ્સ આવી રહ્યા છે. અગાઉ સેનાએ વીડિયો અને ફોટા જાહેર કરીને આ ઓપરેશન વિશે માહિતી આપી. હવે બોર્ડર સિક્યુરિટી ફોસે ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે મ્જીહ્લ એ પાકિસ્તાનની ૭૨ ચોકીઓનો નાશ કર્યો છે.
મંગળવારે શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરના એક નવા વિડીયોમાં પાકિસ્તાની ક્ષેત્રમાં અંદર રહેલા આતંકવાદી છાવણીઓ પર બીએસએફ દ્વારા કરવામાં આવેલા સચોટ હુમલાઓ બતાવવામાં આવ્યા છે. પાકિસ્તાની રેન્જર્સ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જાવા મળે છે અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ થતો પણ બતાવવામાં આવ્યો છે. સાથે જ, પાકિસ્તાની ચોકીઓનો નાશ થતો બતાવવામાં આવ્યા છે.
મીડિયાને સંબોધતા, બીએસએફ જમ્મુ ફ્રન્ટીયરના ઇન્સ્પેક્ટર જનરલ શશાંક આનંદે જણાવ્યું હતું કે મ્જીહ્લ એ અખનૂર, સાંબા અને આરએસપુરા સેક્ટરમાં લોની, મસ્તપુર અને છબ્બરા સહિત અનેક આતંકવાદી લોન્ચ પેડનો નાશ કર્યો છે. તેમણે કહ્યું, “૯-૧૦ મેના રોજ, પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો અને બીએસએફ ચોકીઓને નિશાન બનાવી. જવાબમાં, અમે લશ્કર-એ-તૈયબાની લોન્ચ પેડ પર હુમલો કર્યો અને ભારે નુકસાન પહોંચાડ્યું.
તેને કહ્યું, “અમે દુશ્મનની અનેક ચોકીઓ, ટાવર અને બંકરોનો નાશ કરીને જવાબ આપ્યો. લગભગ ૭૨ પાકિસ્તાની ચોકીઓ અને ૪૭ આગળની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. મ્જીહ્લ ને સંપત્તિ કે માળખાગત સુવિધાઓને કોઈ નુકસાન થયું નથી.” તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ચાલુ છે કારણ કે પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાય નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએસએફે ભૂતકાળમાં પણ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. તેમણે કહ્યું કે તેઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પર ૪૦ થી ૫૦ શંકાસ્પદ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યો. તેમણે કહ્યું કે બીએસએફએ સિયાલકોટ સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારની આડમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ આતંકવાદીઓના મોટા ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો.










































