આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે. હવે આ અંગે બેઠકોનો દોર શરૂ થયો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ મંગળવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેને મળશે અને આગામી બિહાર ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણી અને જાડાણ અંગે ચર્ચા કરશે. આરજેડી સાંસદ મનોજ ઝાએ સોમવારે આ માહિતી આપી.
બિહાર વિધાનસભાની ચૂંટણી લગભગ છ મહિનામાં યોજોવાની ધારણા છે. તેથી, તમામ રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. બિહારમાં કોંગ્રેસના સૌથી જૂના સાથી તરીકે ઓળખાતા આરજેડી પણ ઈન્ડીયા બ્લોકનો એક ભાગ છે. ખડગેના નિવાસસ્થાને આરજેડી-કોંગ્રેસની બેઠક યોજોવાની અપેક્ષા છે. ૨૦ એપ્રિલે, કોંગ્રેસ પ્રમુખ ખડગે બિહારના બક્સર જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધિત કરે તેવી શક્્યતા છે.
આરજેડી રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું, ‘આ એક ઔપચારિક બેઠક છે. જો આપણે કોંગ્રેસ પાર્ટીના સાથી પક્ષો પર નજર કરીએ તો, આરજેડી અત્યાર સુધીનો તેનો સૌથી જૂનો સાથી પક્ષ રહ્યો છે. આ ઔપચારિક બેઠકમાં સમગ્ર પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં બિહારના સમગ્ર સંદર્ભ પર ચર્ચા કરવામાં આવશે તેમ જણાવતા ઝાએ કહ્યું, ‘આ બેઠક બિહારના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. લગભગ ૬-૮ મહિના પછી ચૂંટણી યોજોવાની છે. તેથી આ અંગે ચર્ચા કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે બિહારમાં સ્થળાંતરનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજ્ય સરકારને સ્થળાંતર અટકાવવા અને યુવાનો માટે રોજગાર સર્જન સરળ બનાવવા વિનંતી કરવા માટે ‘અમને નોકરી આપો’ રેલી કાઢવામાં આવી છે. ૭ એપ્રિલના રોજ બેગુસરાયની યાત્રામાં રાહુલ ગાંધી પણ કન્હૈયા કુમાર સાથે જાડાયા હતા.
અગાઉ ૩૦ માર્ચે, બિહારમાં પાર્ટી માટે ચૂંટણીનું બ્યુગલ વગાડતી વખતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર ૧૯૯૦-૨૦૦૫ દરમિયાન ‘જંગલ રાજ’ અને ભ્રષ્ટાચારનું નેતૃત્વ કરવાનો આરોપ લગાવ્યો હતો.