અમરેલી તાલુકાના બાબાપુર ગામ નજીક આવેલી નાગ વાડીએ સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સંતવાણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા. જેમાં છેક જેતપુર અને ભેસાણથી પણ ભક્તજનોએ સવાર સુધી સંતવાણીની મોજ માણી હતી.