બાબરામાં રહેતા એક ખેડૂતે પવનચક્કીના પોલ નાખવાની ના પાડતાં તેને ફોનમાં ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે ચંદુભાઈ વશરામભાઈ મકવાણા (ઉ.વ.૫૦)એ ગળકોટડી ગામના ચાંપરાજભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ફોનમાં આરોપીએ ફોન કરીને કહ્યું કે, તમારી માલિકીની જમીનની બાજુમાં અમે પવનચક્કીના પોલ નાખીએ છીએ. જેથી તેમણે પોલ નાખવાની ના પાડતાં સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઈ ફોનમાં ગાળો આપી, મારવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.