બાબરા ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્રના ટીબી યુનિટમાં ખોડિયાર ગ્રુપ દ્વારા શહેરના તમામ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખોડિયાર ગ્રુપે શહેરના તમામ ટીબી દર્દીઓને દત્તક લીધા છે અને તેમને દવાની સાથે પૂરતું પોષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. જરૂરિયાતમંદ દર્દીઓને ટિફિન સેવા અને ફળો સાથે પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી સોયાબીન, ચણા અને મગની કીટનું વિતરણ કરાયું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડા. આર.આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ખોડિયાર ગ્રુપના નટુભાઈ શિયાણી, સીએચસી બાબરાના અધિક્ષક ડા. વોરા, ઘનશ્યામભાઈ ગજેરા અને મોનિકાબેન દથલીયાએ જહેમત ઉઠાવી હતી.