બાબરા શહેરમાં દશેરાના દિવસે એક અનોખો નજારો જોવા મળ્યો, જ્યાં ૧૩૫ વર્ષ જૂની પરંપરા જાળવી રાખતા રામ-રાવણ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું. રામજી મંદિર યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમે હજારો લોકોને આકર્ષ્યા. સવારે ૯ વાગ્યે મોટા રામજી મંદિરથી શરૂ થયેલી યાત્રામાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના પાત્રધારીઓએ શહેરની મુખ્ય બજારમાં પ્રવેશ કર્યો. જેમાંથી કેટલાક હનુમાનજીની ગદાનો અને રાવણના ધોકાનો માર ખાવા માટે ઉત્સુક હતા. યાત્રા બાદ રામજી મંદિર ખાતે રામ-રાવણ વચ્ચે ધમાસણ યુદ્ધ ખેલાયું. યુદ્ધના અંતે, પરંપરા મુજબ, અસત્ય પર સત્યનો વિજય થયો અને ભગવાન રામના હાથે રાવણનો વધ કરવામાં આવ્યો.