આસો સુદ એકાદશી, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ બાબરા સ્થિત તાપડીયા આશ્રમમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય બાપુના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માર્કંડેય પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સાદગીપૂર્વક યોજાયો હતો, જેમાં સદગુરુ ભગવાન પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના સુરત નિવાસી સેવક હિતેનભાઈ જસાણીએ બાપુનું પૂજન-અર્ચન કર્યું હતું. આ પ્રસંગે વિશેષ રૂપે ઉપસ્થિત રહેલા વિદ્વાન બ્રાહ્મણોમાં વંશ પરંપરાગતના ભૂદેવ ડા. ગિરીશદાદા લક્ષ્મીશંકર દાદા શાસ્ત્રીજી, રાજકોટના વિદ્વાન બ્રાહ્મણ જગદીશદાદા શાસ્ત્રી, નીખિલભાઈ કનૈયા અને મિહિરદાદા તેરૈયા સહિતના ભૂદેવોએ મંત્રોચ્ચાર કરીને સદગુરુ ભગવાન પૂજ્ય શ્રી ઘનશ્યામદાસજી મહારાજના જીવન માટે મંગલ કામના કરી હતી.