બાબરાના ધરાઈ ગામે બિરાજમાન શ્રી બાલમુકુન્દ પ્રભુની હવેલી ખાતે ગત રવિવાર તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ ભવ્ય છાક મનોરથ યોજાયો. બાબરા તાલુકાના ધરાઈ ગામમાં આશરે ૩૫૦ વર્ષથી બિરાજમાન પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી બાલમુકુન્દ પ્રભુની હવેલીમાં જગદ ગુરુ શ્રીમદ વલભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહાધીપતિ સોમયાજી દીક્ષિત પ.પુ.ગો ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં અતિભવ્ય છાક મનોરથ યોજાયો. આ તકે હવેલીમાં ઠાકોરજીના આ રૂડા મનોરથ તથા દર્શનનો તથા કીર્તન,હાલરડા નો આશરે ૫૦૦ વૈષ્ણવ ભક્તોએ લાવ્હો લીધો અને મહાપ્રસાદ નો લાવ્હો લઈ ધન્યતા અનુભવી હતી.