લીલીયાના બવાડા મુકામે અતુલભાઇ રમણીકભાઈ દવે વય નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ દુધાત તથા તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ડાભી તથા ભરતભાઈ હેલૈયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આતુભાઇ મકવાણા તથા કેળવણી નિરીક્ષક અલ્પેશભાઈ પંડ્‌યા, બી.આર.સી. કો-ઓર્ડીનેટર અભિષેકભાઈ ઠાકર તથા ક્રાંકચ પે સેન્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર વિશાલભાઈ પાઠક તથા સી.આર.સી. પ્રવીણભાઈ રાખેસિયા અને દિગનભાઇ દેવમુરારી, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ વિંછીયા,સુધીરભાઈ સતાણી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. ભોરીંગડાથી અનિલગીરી બાપુએ આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ સંપન્ન થયા બાદ અતુલભાઇ રમણીકભાઈ દવે દ્વારા સમગ્ર ગામને અને બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.