બગસરા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ઘણા દિવસોથી સંતો વચ્ચે વિવાદ હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. જેને પગલે શનિવારે રાત્રે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવાની ફરજ પડી હતી. માહિતી મુજબ બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી નવા અને જૂના સંતો વચ્ચે અનેક બાબતોએ વિવાદ ચાલતો હોવાની વાત બહાર આવી હતી. જેને પગલે વારંવાર સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પણ હરિભક્તો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે. સંતો વચ્ચેનો વિવાદ વધતા બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગઈકાલે સાંજના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. પોલીસે આ વિવાદને શાંત પાડવા માટે તેમજ સંતો વચ્ચે ચાલી રહેલા ઝઘડાને સમાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો હતો.