બગસરા ખાતે જેસીઝ ગ્રુપ દ્વારા ૬૩૦મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું આયોજન રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે આંખના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવે છે. ઓપરેશન દરમિયાન તેમને ચા, પાણી, નાસ્તો અને ભોજન પૂરું પાડવામાં આવે છે. ઓપરેશન બાદ દર્દીઓને વાહન દ્વારા પરત બગસરા પહોંચાડવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાય છે. આ ૬૩૦મો કેમ્પ રાજુભાઈ બામટાના પિતા ભવાનીશંકર બામટા અને માતુશ્રી સાવિત્રીબેન બામટાની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરાયો હતો. આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.