બગસરામાં સનાતન મહિલા ગ્રુપ દ્વારા આયોજિત ‘મા-દીકરી સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો હતો. માત્ર માતા-દીકરી વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના લક્ષ્યને સાથે રાખીને, આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ અને સમાજમાં પ્રવર્તતી કેટલીક સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા-દીકરીઓએ ભાગ લીધો હતો. વકીલ નિકિતાબેન પંડયાએ મહિલાઓને જાગૃત કરીને તેમને સ્વરક્ષણ જેવા પાસાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં બગસરાની કેટલીક પ્રતિભાશાળી દીકરીઓએ પોતાના અનુભવો વાગોળ્યા હતા.તેમણે કઈ રીતે સફળતા મેળવી તેવી વાતો કરીને અન્ય મહિલાઓને પ્રેરણા આપી હતી. સનાતન મહિલા ગ્રુપ અને સનાતન ગ્રુપના તમામ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.