બગસરાના રામદેવપીર મંદિરનો ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. ત્રિદિવસીય આ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હવન અને બ્રહ્મચોર્યાસી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. લોકડાયરાની રમઝટ બાદ બગસરામાં રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નગર યાત્રામાં સંતો મહંતોના સામૈયા તથા બ્રહ્મલીન મહંત છગન ભગત પ્રવેશદ્વારનું લોકાર્પણ સંતો મહંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નગરયાત્રા ગોકુળપુરા અરજણભાઈ સોજીત્રાના ઘરેથી નીકળીને સમગ્ર ગોકુળપરા તથા બગસરાના મુખ્ય માર્ગો પર પસાર થઈ અને રામદેવપીર મંદિરે પૂર્ણાહુતિ થઈ હતી તેમજ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી સિવિલ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો સાથોસાથ
રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસથી ચાલી રહેલા રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર શહેર ભક્તિના રંગમાં રંગાયુ હતું.