બગસરામાં શનિશ્વરા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અશોકભાઈ શાસ્ત્રી વ્યાસપીઠ ઉપરથી ભાગવત સપ્તાહનું લોકોને રસપાન કરાવી રહ્યા છે. આ સપ્તાહમાં શ્રીનાથજી સત્સંગ, નંદ ઉત્સવ, રાસગરબા વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પૂજ્ય શાસ્ત્રી અશોકભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.