વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તારમાં ચાલતાં સાત બાળ સંસ્કાર કેન્દ્રના વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારની ૨૫ સગર્ભા સ્ત્રીઓને સુખડી વિતરણ કરવામાં આવી હતી. નવસારીના ઈશ્વરભાઈ રાજાણીના આર્થિક સહયોગથી સિનિયર સિટીઝન પરિવારના મંત્રી નંદલાલભાઈ બામટા અને બાળ કેળવણી મંદિરના નિયામક ભારતીબેન ધાંધીયાના હસ્તે સુખડી વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સગર્ભા સ્ત્રીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.