બગસરામાં નટવરનગરમાં બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે પાર્ક કરેલી ભાર રીક્ષાની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મહેન્દ્રભાઈ પિતાંબરભાઈ બોરીચા (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ અજાણ્યો ચોર ઇસમ નટવરનગર બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે ખુલ્લામાં મુકેલી તેમની ભાર રીક્ષાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. જેની પોલીસ ચોપડે કિંમત રૂ. ૪૦ હજાર જાહેર થઈ હતી.