બગસરા પાલિકાની આળસુ નીતિને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ પડી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સ્ટ્રીટલાઈટ નાખવા માટે પાલિકા સદસ્યોએ પણ રજૂઆત કરી હોવાછતાં તેમની રજૂઆતો પણ ધ્યાનમાં લેવાતી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. બગસરા પાલિકા નેતાઓની વાહ-વાહ મેળવવા માટે ખાતમુહૂર્ત કે લોકાર્પણ સમયે મસમોટા તાયફાઓ કરે છે પરંતુ શહેરીજનોની પ્રાથમિક સુવિધા હલ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ છે જેના લીધે અંધારા છવાયા છે. આ અંગે પાલિકા પ્રમુખ પ્રતિનિધી એ.વી.રીબડીયાએ જણાવ્યું હતું કે, નવી સ્ટ્રીટલાઈટ ખરીદવા માટે વહીવટી મંજૂરી મળી ગઈ છે પરંતુ ટેન્ડર પ્રક્રિયા હજુ બાકી છે. હાલ તો જે વિસ્તારોમાં લાઈટ બંધ છે તેને રિપેર કરવામાં આવતી હોવાથી ચાર-પાંચ દિવસથી સ્ટ્રીટલાઈટ શરૂ થઈ શકતી નથી. સદસ્યો પણ લાઈટ બાબતે રજૂઆત કરી થાક્યા હોવા છતાં તેમની રજૂઆતો પણ ધ્યાનમાં ન લેવાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.