બગસરા સ્વામિનારાયણ મંદિરના બોલેરોને બાળકોને આંબરડી સફારી પાર્ક લઈ જતી વખતે ગોપાલગ્રામ પાસે અકસ્માત થતા બોલેરોમાં સવાર બાળકો સહિત ૧૦ લોકોને ઈજા પહોચી હતી.બગસરા સ્વામિનારાયણ મંદિરના બોલેરોમાં આજે બાળકો તેમજ વડીલોને લઈ ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક ખાતે જવા માટે નીકળ્યા હતા. ગોપાલગ્રામ નજીક બોલેરો ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક જ પલટી ખાઈ ગઈ જતા બોલેરોમાં સવાર બાળકો સહિત વડીલોને નાની-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા તાત્કાલિક ચલાલા પોલીસ દોડી આવી હતી અને ૧૦૮ મારફત ચલાલા, અમરેલી તેમજ રાજકોટ ખાતે ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા બાળકોના વાલીઓ પણ ચિંતાતુર હાલતમાં હોÂસ્પટલ ખાતે દોડી ગયા હતા.