બગસરાના કાગદડી ગામની પરિણીતાએ કંટાળીને ચક્કરગઢ ગામે આવીને અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પીધા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. બનાવ અંગે ચક્કરગઢ ગામે રહેતા જયરાજભાઈ ભરતભાઈ વાળા (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, બગસરાના કાગદડી ગામે રહેતા ચંદ્રાબેન ભરતભાઈ ધાધલ (ઉ.વ.૩૬)ને શરીરમાં સારું રહેતું ન હોવાથી કંટાળીને પોતાની મેળે અનાજમાં નાખવાની ઝેરી ટીકડા પી લેતાં મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એેએસઆઈ એમ.એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલામાં રહેતી એક પરિણીતાને નબળા વિચારો આવતા હોવાથી ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પાણી સાથે મેળવી પોતાની મેળે પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.