પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ સઘન સુધારાનો વિરોધ કર્યા બાદ, મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે દિલ્હીમાં ચૂંટણી પંચ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરશે. મમતા બેનર્જી બુધવારે હુગલી જિલ્લાના સિંગુરમાં એક રેલીમાં ભાગ લેશે. ત્યારબાદ તે સાંજે દિલ્હી જવા રવાના થશે. તેમની દિલ્હી મુલાકાતનો હેતુ રાજ્યમાં એસઆઇઆર અંગે ચૂંટણી પંચ સામેના તેમના વિરોધને વધુ તીવ્ર બનાવવાનો છે. તેઓ તેમની મુલાકાત દરમિયાન વિપક્ષને પણ એકત્ર કરશે.
ડાયમંડ હાર્બરના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના રાષ્ટીય મહાસચિવ અભિષેક બેનર્જી મંગળવારે સાંજે દિલ્હી જવા રવાના થવાના છે. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ચૂંટણી પંચ સામેના વિરોધમાં મમતા બેનર્જી સાથે જાડાશે. શાસક પક્ષના બંને ટોચના નેતાઓ ૩ ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં રહેશે.
અગાઉ, મમતા ફેબ્રુઆરીમાં રાષ્ટીય રાજધાનીની મુલાકાત લેવાના હતા, પરંતુ રાજ્ય સચિવાલયના સૂત્રો અનુસાર, સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોજિકલ ગેપ અને અનમેપ્ડ શ્રેણીઓ હેઠળ આશરે ૧૫ મિલિયન મતદારોને નોટિસ પણ જારી કરવામાં આવી છે, જેમાં તેમને રાજ્યભરના સુનાવણી કેન્દ્રોમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં તેમના રોકાણનો સમયપત્રક તેમના આગમન પછી નક્કી કરવામાં આવશે. મમતા બેનર્જીના નેતૃત્વમાં, ટીએમસી સાંસદો અને અન્ય પક્ષના નેતાઓ ગુરુવારથી ચૂંટણી ગૃહની સામે વિરોધ પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે, જેમાં ચૂંટણી પંચને એસઆઈઆર રોકવાની માંગ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ સતત એસઆઈઆર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેની વિરુદ્ધ પત્ર પણ લખ્યો છે. પક્ષના આંતરિક સૂત્રો કહે છે કે આ જ કારણે તેમને રાષ્ટીય સ્તરે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર કર્યા છે.
ગયા વર્ષે ૪ નવેમ્બરે બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ હતી. તે જ દિવસે, મમતા અને અભિષેક બેનર્જીએ કોલકાતાના રસ્તાઓ પર કૂચ કાઢી હતી. તાજેતરમાં, અભિષેક બેનર્જીએ સંકેત આપ્યો હતો કે પાર્ટીના વડા રાજ્યની પરિસ્થિતિ ને ઉજાગર કરવા અને ચૂંટણી પંચ પરના તેમના હુમલાઓને વધુ તીવ્ર બનાવવા માટે દિલ્હીની મુલાકાત લેશે.
સૂત્રો સૂચવે છે કે દિલ્હીમાં તેમના રોકાણને વધારવાના અન્ય કારણો હોઈ શકે છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવાના છે. આ પછી બજેટ સત્ર ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ચાલુ રહેવાની ધારણા છે.
આ દરમિયાન, મંગળવારે વટગંજના દૈઘાટ ખાતે નવા સ્મશાનગૃહનો શિલાન્યાસ કર્યા પછી, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “કેટલાક લોકો બંગાળમાં અશાંતિ ફેલાવવા માંગે છે. તમારે સાવચેત રહેવું પડશે. કેટલાક લોકો મત માટે અશાંતિ ફેલાવવા માંગે છે, બંગાળ શાંતિ ઇચ્છે છે. દરેક વ્યકિત એ શાંત રહેવું જાઈએ અને કામ કરવું જાઈએ.”
મુખ્યમંત્રીએ કહ્યું, “જા આપણામાંથી ૩૦ ટકા લોકો બીજા સમુદાયના હોય, જા આપણે લડીએ, તો તેઓ દરરોજ રસ્તાઓ બ્લોક કરશે અને વિરોધ કરશે. તેઓ મારું જીવન મુશ્કેલ બનાવશે, તેઓ મને જીવવા દેશે નહીં. આપણામાંથી ૨૬ ટકા અનુસૂચિત જાતિના છે, ૬ ટકા આદિવાસી છે. જા આદિવાસીઓને કંઈક થશે, તો તેઓ ટ્રેનો રોકી દેશે. હું એવું નથી ઇચ્છતો. હું ઇચ્છું છું કે બધા બીજા લોકોની જેમ શાંતિથી રહે. કોઈ બીજાના મામલામાં દખલ કરશે નહીં.”









































