બાબરા તાલુકાના ફુલઝર ગામે માનવસેવા હોસ્પિટલનાં લાભાર્થે આજે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફુલઝર ગામના આંગણે ખૂબજ પુરાતન એવું શ્રી ભીડભંજન મહાદેવનું મંદિર જીર્ણ થતાં ગ્રામજનોનાં સહિયારા પ્રયાસથી તેનું સંપૂર્ણ નવું બાંધકામ કરી આબેહૂબ નકશીવાળું પથ્થરનું દિવ્ય મંદિર નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ શિવ પરિવારની સઘળી નૂતન મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન ૦૬/૦૫/૨૪ ને સોમવારે યોજાશે. સદગુરૂ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનાં વરદ હસ્તે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે અને પૂજ્ય સ્વામી અમૃતવાણીનો લાભ આપશે. આ તકે યોજવામાં આવેલ મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં સત્સંગીઓ બ્લડ ડોનેટ કરી માનવ ધર્મ નિભાવશે.