અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય ઓજસ્વી અને ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા ગુરુવારે ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ મેળા માટે સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. ગજેરાના નેતૃત્વમાં એમ્બ્યુલન્સ સેવા માટે મોકલવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણના નેતૃત્વમાં જામનગર વિભાગ સંગઠન મંત્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને એમ્બ્યુલન્સ ચાલક રાષ્ટ્રીય બજરંગ દળ શહેર અધ્યક્ષ મહેશભાઈ સોલંકી, કાર્યકર્તા ભાઈઓને એમ્બ્યુલન્સ સાથે જય શ્રી રામના નારા સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. આ કુંભ મેળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વમાં લગભગ દોઢથી બે કરોડ માણસોને ભોજન, રહેવા, ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત લગભગ દસ હજાર ડોક્ટરો પણ ત્યાં સેવા આપવા જઈ રહ્યા છે.