ધારાસભ્ય કૌશિક
વેકરીયા, મહેશ કસવાલાએ માર્ગદર્શન આપ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ ૨૮ ઓક્ટોબર ને સોમવારના રોજ લાઠીના દુધાળા ખાતે પધારી રહેલ હોય જેની તૈયારીના ભાગ રૂપે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપના મહામંત્રીઓ ભુપેન્દ્રભાઈ બસીયા, મેહુલભાઈ ધોરાજીયા અને પીઠાભાઈ નકુમની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો, પ્રદેશ મોરચાના હોદ્દેદારો, મંડલના પ્રમુખો અને મહામંત્રીઓે, જિલ્લા મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. આ્ર કાર્યક્રમમાં વિવિધ તાલુકાઓ, શહેરોમાંથી બહોળી સંખ્યામાં લોકો પધારવાના હોય કાર્યક્રમની તૈયારીઓ અંગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.