સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ઢોકળવા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ઢોકળવા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૨૦૦૯ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગને લગતી ૧૦૭૮ અરજી , ૭/૧૨,૮-અ ના પ્રમાણપત્રો માટે ૪૩૦ અરજી, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાબતે ૨૧૫ અરજી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા અંગે ૬૦ અરજી, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ૩૭ અરજી, મિલકત આકારણીના ઉતારા માટે ૧૯ અરજી રેશનકાર્ડમાં સુધારા કરવા માટે ૧૫ અરજી, આવકના દાખલા માટે ૧૪ અરજી સહીત આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જાડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૨૦૦૯ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી ૨૭ જેટલા લોકોએ કરાવી હતી.
આમ, સેવા સેતુ કાર્યક્રમએ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ બન્યું છે. રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.