પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા હરભજન માન તાજેતરમાં એક મોટા અકસ્માતમાં બચી ગયા છે. હરભજન માન દિલ્હીમાં એક શો કરીને તેમના પુત્ર સાથે ચંદીગઢ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમની કાર અકસ્માતનો ભોગ બની. ગાયકની કાર સોમવારે સવારે ૫ વાગ્યાની આસપાસ દિલ્હી-ચંદીગઢ રાષ્ટ્રિય ધોરીમાર્ગ એનએચ-૪૪ પર ડિવાઇડર સાથે અથડાઈ, જેના કારણે કાર પલટી ગઈ અને ટુકડા થઈ ગઈ. પરંતુ, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં હરભજન માન અને તેનો પુત્ર બચી ગયા. હરભજનનો પુત્ર, બોડીગાર્ડ અને ડ્રાઈવર કારમાં હાજર હતા અને બધા સુરક્ષિત છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયક દિલ્હીથી ચંદીગઢ તેમના પુત્ર અવકાશ માન સાથે જઈ રહ્યા હતા. જ્યારે તેમની કાર સવારે ૫ વાગ્યાની આસપાસ હાઇવે પર પહોંચી ત્યારે ડ્રાઇવરે અચાનક તેમની કારની સામે એક ગાય આવી ગઈ, જેને બચાવવા માટે ડ્રાઇવરે અચાનક કાર ફેરવી દીધી અને તે ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી ગઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારના ટુકડા થઈ ગયા. પરંતુ, હરભજન માન અને તેનો પુત્ર આ અકસ્માતમાં બચી ગયા, તેમને થોડી નાની ઇજાઓ થઈ છે.
ઘટના દરમિયાન, નજીકમાં હાજર લોકોએ તરત જ ગાયક અને તેની સાથે હાજર અન્ય લોકોને કારમાંથી બહાર કાઢ્યા અને તેમને બીજી કારમાં મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ભલે હરભજન માન અને તેનો પુત્ર આ અકસ્માતમાં બચી ગયા, આ ઘટનાએ હરભજન માનના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. ગાયકના ચાહકો તેમની પોસ્ટ પર ટિપ્પણીઓ દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાકે, અત્યાર સુધી ગાયક કે તેની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે, હરભજન માનએ પોતાની કારકિર્દીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે અને તે ભારત તેમજ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમના ઘણીવાર દેશ-વિદેશમાં શો થાય છે. પંજાબના ભટિંડામાં જન્મેલા હરભજન માન ૨૦૦૨ માં પંજાબી ફિલ્મ ‘જી આયા નુ’ થી ફિલ્મ જગતમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ તેમણે ‘આસાન નુ મન વતન દા’, ‘મિટ્ટી વજહ મારદી’, ‘મેરા પિંડ માય હોમ’ અને ‘હીર રાંઝા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.










































