જસદણના થોરિયાળી ગામમાં ગત રાત્રીએ આશરે દસ જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા શખ્સે “પોલીસ આવી” તેવી બૂમ પાડી હતી. હકીકતમાં પોલીસે કોઈ દરોડો પાડ્‌યો ન હતો, પરંતુ આ ખોટી બૂમને કારણે જુગાર રમતા તમામ લોકોએ ગભરાઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ નાસભાગ દરમિયાન મુન્નાભાઈ મમકુભાઈ રાજપરા(ઉ.વ.૨૮) નામનો એક વ્યક્તિ દીવાલ કૂદીને ભાગવા ગયો હતો. રાત્રીના અંધારામાં તેને દીવાલ પાસે આવેલો કૂવો દેખાયો નહીં અને તે કૂવામાં ખાબક્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.