પૂજ્ય મોરારીબાપુએ પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી

થોડા દિવસો પહેલાં સુરત સ્થાઈ થયેલા અને મૂળ રાજુલા તાલુકાના કોટડી ગામના આહિર પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. પોઈચા ખાતે નર્મદા નદીમાં આ પરિવાર સ્નાન કરવા આવ્યો હતો જેમાં ૭ સભ્યો ડૂબી ગયા હતા અને તે પૈકી ૪ જેટલા મૃતદેહો મળી આવ્યા હતા.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ
પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. નવસારી Âસ્થત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. મોરબીના લક્ષ્મી નગરના ત્રણ યુવાનો મચ્છુ નદીમાં ન્હાવા
પડેલા અને તેમના ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા
પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા લજાઈના રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. સુરત નજીક અકસ્માતમાં એક નવજાત શિશુ સહિત ત્રણ લોકો માર્યા ગયા છે જેમનાં પરિવારને પણ પૂજ્ય મોરારીબાપુ તરફથી સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.