નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આવકવેરા અધિનિયમ- ૧૯૬૧ની કલમ-૧૯૨ અને ગુજરાત તિજોરી નિયમો ૨૦૦૦ના નિયમ-૧૪૬ મુજબ નાણાકીય વર્ષ દરમિયાન થનાર અંદાજિત આવકની ગણતરી કરી તે મુજબ માહે એપ્રિલના માસથી દર માસે સરખા હિસ્સે સીધેસીધી કપાત કરી (ટીડીએસ) ભારત સરકારમાં જમા કરાવવાના રહે છે. પેન્શનની અંદાજિત આવક રુ.૧૨,૭૫,૦૦૦ થી વધુ થતી હોય તેવા પેન્શનરોએ સ્વ આકારણી કરી કેટલો આવકવેરો કાપવો તેની જાણ અમરેલી જિલ્લા તિજોરી કચેરીને તા.૦૫ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં કરવી. આ જોગવાઈનો અમલ ન થવાને કારણે નાણાકીય વર્ષના છેલ્લા માસમાં એક સામટી આવકવેરાની કપાત કરાવવામાં આવે છે, જે ઉપરોક્ત નિયમોની વિરુદ્ધ છે જેથી દર માસે સરખે હિસ્સે આવકવેરાની ગણતરી કરવી અને તેની જાણ અમરેલી જિલ્લા તિજોરી કચેરીને કરવી.