સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે કર્ણાટક સરકારના વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી વિકાસ કુમાર વિકાસ સામેના સસ્પેન્શનના આદેશને રદ કર્યો છે, જેમની સામે ગયા મહિને અહીં થયેલી ભયાનક ભાગદોડને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. ૪ જૂનના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની સામે થયેલી ભાગદોડમાં અગિયાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં આયોજન અને ભીડ વ્યવસ્થાપનની આકરી ટીકા થઈ હતી. સીએટીએ સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જવાબદાર ઠેરવ્યું છે.
સીએટીએ કહ્યું કે પહેલી નજરે, ૪ જૂને બેંગલુરુમાં એકત્ર થયેલી મોટી ભીડ માટે આરસીબી ક્રિકેટ ટીમ જવાબદાર છે. જેના કારણે, ભાગદોડમાં ૧૧ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ઝ્રછ્ એ સ્ટેડિયમમાં તૈનાત પોલીસકર્મીઓનો બચાવ કર્યો અને કહ્યું કે તેઓ જાદુગર કે દેવતા નથી. ટ્રિબ્યુનલે પોતાના અવલોકનોમાં કહ્યું, ‘પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે લગભગ ત્રણથી પાંચ લાખ લોકોની ભીડ માટે આરસીબી જવાબદાર છે.’ આરસીબીએ પોલીસ પાસેથી યોગ્ય પરવાનગી કે સંમતિ લીધી ન હતી. અચાનક, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને ઉપરોક્ત માહિતીના પરિણામે લોકો એકઠા થઈ ગયા.
ટ્રિબ્યુનલે આરસીબીની ઉજવણી કરવાની છેલ્લી ઘડીની જાહેરાતની ટીકા કરી અને તેને ઉપદ્રવ ગણાવ્યો. કોર્ટે આદેશમાં કહ્યું, ‘અચાનક, ઇઝ્રમ્ એ કોઈપણ પૂર્વ પરવાનગી વિના ઉપરોક્ત પ્રકારનો ઉપદ્રવ કર્યો.’ પોલીસ પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે લગભગ ૧૨ કલાકના ટૂંકા ગાળામાં, તેઓ પોલીસ અધિનિયમ અથવા અન્ય નિયમો વગેરે હેઠળ જરૂરી બધી વ્યવસ્થા કરશે.
આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ તેમની પહેલી આઇપીએલ જીતના એક દિવસ પછી, ૪ જૂને વિજય પરેડ ઉજવણી વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ટ્રિબ્યુનલે પોલીસની ભૂમિકાનો પણ બચાવ કરતા કહ્યું કે, ‘પોલીસ કર્મચારીઓ પણ માણસો છે.’ તેઓ ન તો ‘ભગવાન’ છે, ન તો જાદુગર, ન તો તેમની પાસે ‘અલાદ્દીનના દીવા’ જેવી જાદુઈ શક્તિઓ છે જે ફક્ત આંગળી ઘસીને કોઈપણ ઇચ્છા પૂરી કરી શકે છે.














































