અમરેલી તાલુકાનાં પીઠવાજાળ ગામે સિંહ દ્વારા ચાર ગૌવંશનું મારણ કરાતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ગત રાત્રીનાં રોજ સિંહ પરિવાર ગામના પાદરમાં આવી ચડયો હતો અને રેઢીયાળ ઢોર પર હુમલો કરી ચાર ગૌવંશનું મારણ કરી અને ર ગૌવંશને ઘાયલ કર્યા હતા. અને સિંહ પરિવારે ગૌવંશની મીજબાની માણી હતી. ગામમાં સિંહ પરિવારનાં આંટાફેરાથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.