પીઠવડી ગામના સરપંચ ભૌતિકભાઈ સુહાગીયાએ પીઠવડીથી ગાધકડા સુધીના રસ્તો તાત્કાલિક રિપેર કરવા માંગ કરી છે. સરપંચે પત્રમાં જણાવ્યા મુજબ, આ માર્ગ પર મોટા-મોટા ગાબડાં પડી ગયા છે. રસ્તાની આવી ખરાબ સ્થિતિને કારણે રાહદારીઓ, મુસાફરો તેમજ નાના-મોટા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, રસ્તાની આ સ્થિતિમાં અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે. સરપંચે માર્ગની તાત્કાલિક મરામત માટે નાયબ કાર્યપાલક ઈજનેર, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિતનાઓને રજૂઆત કરી છે.