(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૫
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલા વધુ એક મોટો હોબાળો થયો છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટ્રોફી પ્રવાસ માટે તૈયાર છે. એટલે કે આ ટ્રોફીને પાકિસ્તાનના અલગ-અલગ સ્થળોએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસની પણ જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાને ટ્રોફી પ્રવાસ માટે તૈયાર કરેલા શેડ્યૂલમાં ફેરફાર કરવો પડી શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર ચેÂમ્પયન્સ ટ્રોફી ૧૪ નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. હવે ૧૬ નવેમ્બરથી ૨૪ નવેમ્બર સુધી ટ્રોફીને પાકિસ્તાનના અલગ-અલગ સ્થળોએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. શેડ્યૂલ મુજબ, ટ્રોફી સ્કર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જશે. તેમાંથી સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આવે છે. પરંતુ આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં,આઇસીસીએ પીસીબીને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસને કોઈપણ વિવાદિત પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં લઈ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ૧૪ નવેમ્બરે જ જાહેરાત કરી હતી કે, ‘પાકિસ્તાન તૈયાર થઈ જાઓ.આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ટ્રોફી ટૂર ૧૬ નવેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં શરૂ થશે, જે સ્કર્દુ, મુરી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. ૧૬-૨૪ નવેમ્બર દરમિયાન ઓવલ ખાતે ૨૦૧૭માં સરફરાઝ અહેમદ દ્વારા ઉઠાવવામાં આવેલી ટ્રોફીની એક ઝલક જુઓ.
ચેમ્પિયન્સ ટ્રોફી ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરંતુ ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન જવાનો ઈન્કાર અને જવાબમાં પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર ન હોવાને કારણે શિડ્યુલની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આઈસીસીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે, જ્યારે કોઈ સત્તાવાર ટૂર્નામેન્ટ શેડ્યૂલ વિના કોઈ ટ્રોફી પ્રવાસ હશે. સામાન્ય રીતે ટુર્નામેન્ટનું શેડ્યૂલ ઓછામાં ઓછા ૧૦૦ દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે, આ પછી જ ટ્રોફી પ્રવાસ શરૂ થાય છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ જાવા મળી રહ્યું છે.