રાષ્ટપતિ આસિફ અલી ઝરદારીએ તમામ લોકોને સંયમ રાખવા અને વાતચીત અને પરસ્પર પરામર્શ દ્વારા મુદ્દાઓને ઉકેલવા વિનંતી કરી
(એ.આર.એલ),ઇસ્લામાબાદ,તા.૧૪
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતી જતી મોંઘવારી અંગે લોકોનો ગુસ્સો ધીમે ધીમે બળવાનું રૂપ લઈ રહ્યો છે. ત્યાંના હિંસક આંદોલનોએ પાકિસ્તાન સરકારને ઘૂંટણિયે લાવી દીધી છે. શેહબાઝ શરીફ સરકારે પીઓકે માટે તાત્કાલિક અસરથી ૨૩ અબજ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે.
સ્થાનિક સરકારે વીજળીના દર અને બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીઓકેમાં હાલમાં પણ સ્થતિ તંગ છે. શુક્રવારથી આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન જાવા મળી રહ્યા છે.સતત ચોથા દિવસે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. જેમાં બે વિરોધીઓ અને એક એસઆઈનો સમાવેશ થાય છે. રવિવારે થયેલી અથડામણમાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
છેલ્લા ચાર દિવસથી, પીઓકેમાં સામાજિક કાર્યકરો, વેપારીઓ અને વકીલો દ્વારા રચાયેલી સંયુક્ત અવામી એક્શન કમિટીએ આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો અને ટેક્સમાં વધારા સામે રાજધાની મુઝફ્ફરાબાદ સુધી કૂચનું આહ્વાન કર્યું છે. સોમવારે પણ લાખો વિરોધીઓએ મુઝફ્ફરાબાદ તરફ તેમની લોંગ માર્ચ ચાલુ રાખી હતી. કૂચને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો, જેના કારણે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. રવિવારે ભીડમાંથી કોઈએ પોલીસ એસઆઈ અદનાન કુરેશીની ગોળી મારીને હત્યા કરી હતી. આ અથડામણમાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. અત્યાર સુધીમાં બે વિરોધીઓના પણ મોત થયા છે.
ભીમ્બરથી શરૂ થયેલો દેખાવકારોનો કાફલો સોમવારે દિરકોટથી મુઝફ્ફરાબાદમાં પ્રવેશ્યો હતો. તેમનો પ્લાન વિધાનસભાનો ઘેરાવ કરવાનો હતો. પીઓકેમાં ચોથા દિવસે પણ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ રહી હતી. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પ્રદર્શનકારીઓને શાંત કરવા સક્રિય બન્યા છે. શાહબાઝે સ્થતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે વિરોધીઓ અને સ્થાનિક સરકાર સાથેની વાતચીત બાદ તેમણે પીઓકે માટે તાત્કાલિક અસરથી રૂ. ૨૩ અબજનું બજેટ મંજૂર કર્યું હતું.
અણધાર્યા વિરોધ અને તેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન શરીફે સોમવારે એક વિશેષ બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવારુલ હક, સ્થાનિક પ્રધાનો અને ટોચના નેતૃત્વએ હાજરી આપી હતી, વડા પ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે પીઓકેના લોકોની સમસ્યાઓના ઉકેલ માટે વડાપ્રધાન શરીફે ૨૩ અબજ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ બેઠકમાં ગઠબંધન પક્ષોના મંત્રીઓ અને નેતાઓએ પણ ભાગ લીધો હતો અને સ્થતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પીએમઓએ કહ્યું કે કાશ્મીરના નેતાઓ અને બેઠકમાં સામેલ લોકોએ શહેબાઝના નિર્ણયની પ્રશંસા કરી.
અહીં, શાહબાઝ શરીફ સાથેની બેઠક પૂરી થયા પછી તરત જ પીઓકેના વડા પ્રધાન હકે વીજળીના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. હકે કહ્યું, સ્થાનિક રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી સસ્તી વીજળી અને લોટ પર સબસિડીની માંગ કરી રહ્યા છે. કોઈ સુલભ વીજળી અને સસ્તા લોટની જરૂરિયાતને અવગણી શકે નહીં. તેમણે બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રાવલકોટના એક વિરોધ પ્રદર્શનકારી નેતાએ સરકાર પર મામલો ટાળવાની વ્યૂહરચના અપનાવવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ, વિરોધીઓએ કોહલા-મુઝફ્ફરાબાદ માર્ગને અવરોધિત કરીને ઘણી જગ્યાએ ધરણાં કર્યા છે. આ રસ્તો ૪૦ કિલોમીટર સુધી વિસ્તરે છે અને કોહાલા શહેરને પીઆૅકેમાં મુઝફ્ફરાબાદ સાથે જાડે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંવેદનશીલ સ્થળો પર ભારે પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. બજારો, વેપાર કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, જ્યારે પરિવહન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
તણાવને શાંત કરવા માટે, રાષ્ટપતિ આસિફ અલી ઝરદારીએ તમામ લોકોને સંયમ રાખવા અને વાતચીત અને પરસ્પર પરામર્શ દ્વારા મુદ્દાઓને ઉકેલવા વિનંતી કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકીય પક્ષો, રાજ્ય સંસ્થાઓ અને પ્રદેશના લોકોએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જાઈએ, જેથી દુશ્મનો તેમના પોતાના ફાયદા માટે પરિસ્થતિનો લાભ ન લઈ શકે. રાષ્ટÙપતિએ કહ્યું કે, તેઓ વર્તમાન પરિસ્થતિમાંથી બહાર નીકળવા માટે વડાપ્રધાન શરીફ સાથે વાતચીત કરશે. રાષ્ટપતિએ વર્તમાન પરિસ્થતિ પર ખેદ વ્યક્ત કર્યો અને પોલીસ અધિકારીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. અથડામણમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.