સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગવિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુની પધરામણી બોટાદના આંગણે તા.૧૨/૫/૨૦૨૪ થી ૨૧/૫/૨૦૨૪ સુધી થઈ છે. વિહળ પરિવાર સેવક સમુદાયના ઘેર ઘેર પૂજ્ય બા શ્રી પગલાં કરશે અને રૂડા આશિર્વાદ આપશે. ઉપરાંત ઐતિહાસિક શોભાયાત્રા નીકળી જેમાં શણગાર સાથે હાથી, ઘોડા, ઊંટ જોવા મળ્યા તેમજ પાળીયાદના ઠાકરની પ્રતિકૃતિઓ વાળા શણગારેલ ટેÙકટર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા.