ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદને પ્રાયોજિત કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આ દેશ માનવતા માટે ખતરો બની ગયો છે. ઓવૈસીએ કહ્યું કે સરકાર દ્વારા અનેક દેશોની મુલાકાત લેવા માટે મોકલવામાં આવી રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાંના એકના સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમના સંદેશનો આ મુખ્ય મુદ્દો હશે.
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે લાંબા સમયથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યા વિશે વિશ્વને જણાવવાની જરૂર છે. તેમણે કહ્યું, ‘ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી ઘણું નુકસાન સહન કર્યું છે.’ ઝિયા-ઉલ-હકના સમયથી આપણે બધાએ લોકોના નરસંહાર જાયા છે.
જાકે, ઓવૈસીએ કહ્યું કે સરકારે હજુ સુધી તેમને રાજદ્વારી અભિયાન વિશે વિગતવાર માહિતી આપી નથી. લોકસભા સભ્ય ઓવૈસીએ કહ્યું કે ભારત સાથેના સંઘર્ષમાં પોતાને ઇસ્લામિક દેશ તરીકે રજૂ કરવા બદલ પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ આપવો જરૂરી છે.
તેમણે કહ્યું, ‘આ બકવાસ છે.’ ભારતમાં લગભગ ૨૦ કરોડ મુસ્લિમો રહે છે. આ કહેવું પણ જરૂરી છે. ઓવૈસીએ કહ્યું કે ભારતને અસ્થિર કરવું, સાંપ્રદાયિક વિભાજનને ઉશ્કેરવું અને દેશના આર્થિક ઉદયને રોકવો એ પાકિસ્તાનની અલિખિત વિચારધારાનો ભાગ છે.
તેમણે કહ્યું કે આ હંમેશા પાકિસ્તાની ‘ડીપ સ્ટેટ’ અને તેની સેનાનો ઉદ્દેશ્ય રહ્યો છે. તેમણે કહ્યું કે ૧૯૪૭માં સ્વતંત્રતા પછી જ્યારે ભારતે આદિવાસી ઘૂસણખોરોને જમ્મુ અને કાશ્મીરમાં મોકલ્યા ત્યારે પાકિસ્તાનની રણનીતિઓ ઘણા સમય પહેલા સમજી લેવી જાઈતી હતી.
તેમણે કહ્યું, ‘તેઓ ત્યારથી આ નાટક કરી રહ્યા છે.’ તેઓ આવતીકાલે પણ આ કરવાનું ચાલુ રાખશે અને અટકવાના નથી. જાકે, પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની ધીરજ ખૂટી ગઈ. તેમણે કહ્યું કે આતંકવાદીઓને શસ્ત્રો, તાલીમ અને નાણાકીય સહાય આપીને પાકિસ્તાન માનવતા માટે ખતરો બની ગયું છે.