(એ.આર.એલ),લંડન,તા.૧૫
પીઓકેમાં વધતી અશાંતિ બાદ, યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના સભ્યોએ યુકેના બ્રેડફોર્ડમાં પાકિસ્તાની કોન્સ્યુલેટની બહાર દેખાવો શરૂ કર્યા. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ પીઓકે અને ગિલગિટ-બાલ્ટસ્તાનના લોકોના સંઘર્ષને સમર્થન આપ્યું હતું.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હજુ પણ લોકોનો ગુસ્સો ચાલુ છે. પીએમ શહેબાઝ શરીફે વિસ્તારના વિકાસ માટે ૨૩ અબજ રૂપિયા મંજૂર કર્યા પછી પણ લોકો શાંત થયા નથી. મુઝફ્ફરાબાદમાં અર્ધલશ્કરી રેન્જર્સ સાથેની અથડામણમાં વિરોધીઓ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૩ લોકોના મોત અને ૬ લોકો ઘાયલ થયા હતા. રેન્જર્સ ૫ ટ્રક સહિત ૧૯ વાહનોના કાફલા સાથે કોહલાથી વિસ્તારમાંથી બહાર આવ્યા અને શોરાન દા નાક્કા ગામ નજીક તેમના પર પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો, જેનો જવાબ તેમણે ટીયર ગેસ અને ગોળીબારથી આપ્યો.