ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ વકફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટના વચગાળાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું, આ એક વચગાળાનો આદેશ છે. અમને આશા છે કે સર્વોચ્ચ અદાલત ટૂંક સમયમાં આ સમગ્ર કાયદા પર અંતિમ ચુકાદો આપશે અને સુનાવણી શરૂ થશે. આ નિર્ણય એનડીએ સરકાર દ્વારા બનાવેલા કાયદાથી વકફ મિલકતોને બચાવવામાં મદદ કરશે નહીં. આનાથી અતિક્રમણ કરનારાઓને ફાયદો થશે. વકફ મિલકતોનો વિકાસ થઈ શક્યો નહીં. અમને આશા છે કે સર્વોચ્ચ અદાલત ટૂંક સમયમાં અંતિમ ચુકાદો આપશે.તેમણે કહ્યું, સીઓની નિમણૂક અંગે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ વ્યક્તિ ‘શક્ય હોય ત્યાં સુધી’ મુસ્લિમમ હોવો જાઈએ. હવે સરકાર કહેશે કે તેમને કોઈ લાયક મુસ્લિમમ મળ્યો નથી. જે પક્ષ કોઈપણ મુસ્લિમમને સાંસદની ટિકિટ આપતો નથી, જેનો એક પણ મુસ્લિમમ સાંસદ નથી, શું તે મુસ્લિમમ અધિકારીની નિમણૂક કરશે? ગુપ્તચર વિભાગમાં કેટલા મુસ્લિમમ અધિકારીઓ છે? તેઓ વકફમાં બિન-મુસ્લિમમોની નિમણૂક કરશે. શા માટે? આ બંધારણની કલમ ૨૬ નું ઉલ્લંઘન છે. કલ્પના કરો, જા કોઈ બિન-શીખને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્ય બનાવવામાં આવે તો શીખોને કેવું લાગશે?હૈદરાબાદના સાંસદે કહ્યું, સુપ્રીમ કોર્ટે એ જાગવાઈ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્્યો નથી કે સંબંધિત વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ઇસ્લામનો અનુયાયી હોવો જાઈએ. એવો કોઈ કાયદો નથી જે એક ધર્મના વ્યક્તિને બીજા ધર્મમાં દાન આપતા અટકાવે. બંધારણની કલમ ૩૦૦ મુજબ, હું મારી મિલકત જેને ઇચ્છું તેને આપી શકું છું. તો પછી ફક્ત આ (ઇસ્લામ) ધર્મ માટે જ આવી જાગવાઈ કેમ કરવામાં આવી છે? ભાજપે જણાવવું જાઈએ કે ધર્મ પરિવર્તન કર્યા પછી અત્યાર સુધી કેટલા લોકોએ વકફને મિલકતનું દાન કર્યું છે. કલેક્ટર તપાસની જાગવાઈ ચોક્કસપણે બંધ કરવામાં આવી છે, પરંતુ કલેક્ટર પાસે હજુ પણ સર્વે કરવાની સત્તા છે.સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા)  અધિનિયમ, ૨૦૨૫ ની કેટલીક મહત્વપૂર્ણ કલમો પર સ્ટે આપ્યો છે. આમાં તે કલમ પણ શામેલ છે જે કહે છે કે ફક્ત તે લોકો જ વકફ બનાવી શકે છે જેઓ છેલ્લા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યા છે. જાકે, કોર્ટે સમગ્ર કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ ઓગÂસ્ટન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે, કોઈપણ કાયદાને ગેરબંધારણીય માનતા પહેલા, એવું માનવામાં આવે છે કે તે બંધારણ અનુસાર છે. ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં હસ્તક્ષેપ કરવામાં આવે છે. કોર્ટે આ મુદ્દા પર ૧૨૮ પાનાનો વચગાળાનો આદેશ જારી કર્યો.