અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે એક યુવકે તેની પત્નીને મંદિરે લઈ જવાની ના પાડી હતી. જેથી પત્નીને લાગી આવ્યું હતું અને ઝેરી પાવડર પી લેતા સારવાર અર્થે ખસેડાઈ હતી. બનાવ અંગે પરિણીતાએ જાહેર કર્યા મુજબ, તેમને ચુડા રાણપુર માતાજીના મંદિરે દર્શન માટે જવું હતું પરંતુ પતિ મંદિરે લઈ જતા નહોતા. જેથી તેમને મનમાં લાગી આવતાં મકોડા મારવાનો ઝેરી પાવડર પી લીધો હતો અને ઝેરી અસર થતાં ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી અને સારવાર અર્થે ખસેડાયા હતા.
અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં રહેતા એક યુવકે માનસિક બીમારીના કારણે પોતાની મેળે જમણા હાથના કાંડા પર બ્લેડ મારી દેતાં સારવારમાં દાખલ કરાયા હતા.