press note.pdf

અમરેલી પટેલ સંકુલનું ધોરણ-૧૨નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ-૧૨ આટ્‌ર્સનું ૯૮ ટકા, કોમર્સનું ૯૬ ટકા અને સાયન્સનું ૮૩ ટકા પરિણામ આવ્યું છે. આટ્‌ર્સમાં એ૧ ગ્રેડમાં ૪ વિદ્યાર્થીઓ, એ૨ ગ્રેડમાં ૨૭, ૯૫ પીઆર અપ ૧૦ અને ૯૦ પીઆર અપ ૨૪ વિદ્યાર્થીઓ છે. જ્યારે કોમર્સમાં એ૧ ગ્રેડમાં ૧૪૧, ૯૫ અપ પીઆરમાં ૭૩ અને ૯૦ અપ પીઆરમાં ૧૩૭ વિદ્યાર્થીઓ છે. સાયન્સમાં એ૧ ગ્રેડમાં ૧, એ૨ ગ્રેડમાં ૧૨, ૯૫ અપ પીઆરમાં ૮ અને ૯૦ અપ પીઆરમાં ૨૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સંસ્થાના પ્રમુખ મનુભાઈ ઠુમ્મર, ઉપ પ્રમુખ પ્રતાપભાઈ જોગાણી, મંત્રી મનુભાઈ ડાવરિયા, સહમંત્રી નરેન્દ્રભાઈ હીરપરા, મે. ટ્રસ્ટી નાગજીભાઈ સોજીત્રા, ખજાનજી નાનુભાઈ વેકરીયા, સંસ્થાના નિયામક મનસુખભાઈ ધાનાણી તથા ટ્રસ્ટીએ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.