ઉત્તરાખંડની સરહદની નજીક નેપાળમાં એક બસ નદીમાં પડતાં છ મુસાફરોનાં મોત થયાં હતાં. બસ કપિલવસ્તુથી કાઠમંડુ જઈ રહી હતી, ત્યારે બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી.ગંભીર રીતે ઘાયલ સાત લોકોને કાઠમંડુ મોકલવામાં આવ્યા છે. અન્ય લોકોને ગજુરી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે.આ અકસ્માત બુધવારે સવારે ૫ વાગ્યે દધીંગના ગજુરી ગામની પાલિકા ૫માં ઘાટબેન્સી નામના સ્થળે બન્યો હતો.
ડિસ્ટ્રક્ટ સેન્ટનલ ઓફિસ ધાડિંગના સેન્ટનેલના પ્રવક્તા સેન્ટનલ સબ ઈન્સ્પેક્ટર સંતુલાલ પ્રસાદ જયસ્વાલે જણાવ્યું કે બસમાં ૫૧ મુસાફરો હતા.તેમણે વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં ૩૮ મુસાફરોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બસ ડ્રાઈવર, ૩૮ વર્ષીય હરિરામ નેપાળ સેન્ટીનેલ દ્વારા પકડવામાં આવ્યો છે. અકસ્માતના કારણો અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.