(એ.આર.એલ),પટણા,તા.૨૨
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સોમવારે ડીજીપી આલોક રાજ અને પ્રિન્સપલ સેક્રેટરી અરવિંદ કુમારની સામે મંચ પર જાડાતા જાવા મળ્યા હતા. નીતીશ કુમારે અધિકારીઓને હાથ જાડીને વિનંતી કરી ત્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી પર ઉગ્ર નિશાન સાધ્યું છે. તેજસ્વીએ લખ્યું હતું
તેજસ્વી યાદવે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના આવા વર્તનને કારણે બિહારમાંથી શાસન ખતમ થઈ ગયું છે. મુખ્યમંત્રીનું આ પ્રકારનું આજીજીભર્યું વર્તન લોકશાહી વ્યવસ્થા માટે સારી નિશાની નથી. જ્યારે નૈતિકતા ખતમ થઈ ગઈ છે, વિશ્વસનીયતા શૂન્ય છે અને સમાજમાં સ્વીકૃતિ સૌથી નીચા સ્તરે છે, તો શું અધિકારીઓની સામે આવું કરવું નીતિશ કુમારની મજબૂરી છે?
તમને જણાવી દઈએ કે બિહાર પોલીસના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે હાથ જાડીને ડીજીપી આલોક રાજને પોલીસ કર્મચારીઓની ભરતીમાં ઝડપ લાવવા વિનંતી કરી હતી. સીએમ નીતીશે હાથ જાડીને કહ્યું, મને કહો, શું તમે આ કામ ઝડપથી કરી શકશો? ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે બિહાર પોલીસ મુખ્યમંત્રીની સૂચનાઓને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે ઝડપી ભરતી અને મજબૂત તાલીમ સુનિશ્ચિત કરીશું. જેના જવાબમાં મુખ્યમંત્રીએ ડીજીપીનો આભાર માન્યો હતો. નીતિશ કુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીની આ ટિપ્પણી બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ પર વિપક્ષના આક્ષેપોની પૃષ્ઠભૂમિમાં આવી છે. બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને નીતિશ કુમારની આગેવાની હેઠળની ભાજપ-જેડીયુ ગઠબંધન સરકાર ગુનાખોરીને લઈને વિપક્ષની
આભાર – નિહારીકા રવિયા ટીકાઓનો સામનો કરી રહી છે.હકીકતમાં, બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે એવો કોઈ જિલ્લો નથી જ્યાં હત્યા, લૂંટ, અપહરણ અને બળાત્કારની ઘટનાઓ ન થઈ રહી હોય. પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. એફઆઈઆર નોંધાય તો તપાસ થતી નથી. લોકોને ન્યાય મળતો નથી. મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહાર ચલાવી શકતા નથી.